:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે

top-news
  • 25 Jul, 2024

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોકા હોલનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. હવે પછીથી દરબાર હોલ ગણતંત્ર મંડપ અને અશોક હોલ અશોક મંડપ તરીકે ઓળખાશે. આ અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે દરબારનો કોઈ ખ્યાલ નથી પરંતુ શહેનશાહનો ખ્યાલ છે. ઉલ્લેખનીય છે કે આ નામ બદલવાની વાત વિપક્ષોને ગળે ઉતરી ન હોવાને કારણે આ મુદ્દો વધુ જોર પકડે તેવી શક્યતા છે.

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રહેશે. દરબાર હોલ એ છે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે, જ્યારે અશોક હોલ મૂળ રૂપે એક બોલરૂમ હતો.
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 'દરબાર', જે ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો ઉલ્લેખ કરે છે, ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા ગુમાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત હવે પ્રજાસત્તાક છે. આવી સ્થિતિમાં દરબાર જેવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ભારતીય સમાજમાં પ્રજાસત્તાકની વ્યાખ્યા પ્રાચીન છે. તેથી દરબાર હોલનું નામ બદલીને હવે ગણતંત્ર મંડપ કરાયું છે. અશોક હોલનો ઉપયોગ બોલરૂમ તરીકે કરવામાં આવ્યો છે. અશોક એટલે કોઈપણ પ્રકારના દુ:ખથી મુક્ત થવું.

આવી સ્થિતિમાં અશોક નામ યથાવત રહેશે, પરંતુ હવે તેમાં હોલને બદલે મંડપ શબ્દ ઉમેરવામાં આવશે. રાષ્ટ્રપતિ સચિવાલય વતી કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેનો સમૃદ્ધ વારસો દર્શાવે છે. 'રાષ્ટ્રપતિ ભવન સુધી લોકોની પહોંચ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ ભવનની ઓળખને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ભાવનાઓ સાથે જોડવામાં આવી રહી છે.